ગુજરાતમાં પહેલું "કમળ" ખીલ્યું: ભાજપના મુકેશ દલાલની બિનહરીફ જીત
- 22 Apr, 2024
લોકસભા ચૂંટણીની વચ્ચે ભારતીય જનતા પાર્ટી માટે ગુજરાતમાંથી સારા સમાચાર આવ્યા છે. સુરત લોકસભા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવારનું નામાંકન રદ થયા પછી બાકી બચેલા 8 ઉમેદવારોએ પણ પોતાનું નામ પરત ખેંચી લીધું છે. તેના પગલે અહીં બીજેપીની બિનહીરફ જીત નક્કી થઈ ગઈ છે. તેની સાથે જ લોકસભા ચૂંટણીમાં બીજેપીનું ખાતુ ખુલી ગયું છે. અહીં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ છે.
સુરત લોકસભા સીટથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ ચૂંટણી અધિકારી સમક્ષ પોતાના ત્રણમાંથી એક પણ પ્રસ્તાવકને ઉપસ્થિત રાખી શક્યા નહોતા. તે પછીથી ચૂંટણી અધિકારીએ નિલેશ કુંભાણીનું નામાંકન ફોર્મ રદ કર્યું હતું. બીજેપીએ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મમાં તેમના ત્રણ પ્રસ્તાવકોના હસ્તાક્ષરને લઈને સવાલ ઉઠાવ્યા હતા.
કોંગ્રેસે નોમિનેશન ફગાવવાનો આરોપ પણ સરકાર પર મુક્યો છે. કોંગ્રેસે કહ્યું કે સરકારની ધમકીની સામે બધા ડરેલા છે. કોંગ્રેસના નેતા અને વકીલ બાબૂ માંગુકીયાએ કહ્યું કે અમારા ત્રણેય પ્રસ્તાવકોનું અપહરણ થયું છે, ચૂંટણી અધિકારીએ હાલ ફોર્મ પર હસ્તાક્ષર થયા છે કે નહીં તેની નહીં પરંતુ અપહરણની તપાસ કરવી જોઈએ. તેમણે કહ્યું કે હસ્તાક્ષરને મેચ કર્યા સિવાય ફોર્મને રદ કરવું તે ખોટી વાત છે. પ્રસ્તાવકોના ફોર્મને હસ્તાક્ષર સાચા છે કે ખોટા તેની તપાસ કર્યા સિવાય રદ કરવા તે ખોટી બાબત છે.
સુરતમાં ભાજપે ઈતિહાસ રચ્યો છે. બસપા સહિતના તમામ 8 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા સુરત લોકસભા બેઠક બિનહરીફ બની છે. લોકસભામાં ભાજપની પહેલી જીત થઈ છે. આ સાથે સુરત દેશની પહેલી બિનહરીફ બેઠક બની છે. આમ, ભાજપે મોટું ઓપરેશન પાર પાડીને ઈતિહાસ રચ્યો છે. જ્યારબાદ ભાજપના નેતાઓ શુભેચ્છા પાઠવી રહ્યા છે. ભૂપેન્દ્ર પટેલ, સી.આર. પાટીલ, પૂનમબેન માડમ અને કિરીટ પરમારે શુભેચ્છા પાઠવી છે. તો કોંગ્રેસ નેતાઓએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપ નેતા ગોરધન ઝડફિયાએ કહ્યું કે, 'કોંગ્રેસની ભૂલનું આ પરિણામ છે.' તો પરેશ ધાનાણીએ કહ્યું કે, સુરતની પહેલી ઘટના નથી અને છેલ્લી પણ નથી.
સુરત લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી મુકેશભાઇ દલાલને બિનહરીફ ચૂંટાવા બદલ હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ.
— Bhupendra Patel (Modi Ka Parivar) (@Bhupendrapbjp) April 22, 2024
લોકસભા ચૂંટણીમાં ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ભારતીય જનતા પાર્ટીના ઐતિહાસિક વિજયની આ શરૂઆત છે. ગુજરાતમાં તમામ 26 બેઠકો પર ભાજપાના પ્રચંડ વિજય સાથે કમળ ખીલવાનો અને માનનીય મોદીજીના…
મુકેશ દલાલને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે, 'સુરત લોકસભા બેઠકના ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ ચૂંટાવા બદલ હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ. લોકસભા ચૂંટણીમાં ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ભાજપના ઐતિહાસિક વિજયની આ શરૂઆત છે. ગુજરાતમાં તમામ 26 બેઠકો પર ભાજપના પ્રચંડ વિજય સાથે કમળ ખીલવાનો અને વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં 'અબકીબાર ચારસો પાર'નો સંકલ્પ સાકાર થવાનો આ સ્પષ્ટ સંકેત છે.' સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થવા પર ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે શુભેચ્છા આપી છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદીને સુરતે પહેલું કમળ અર્પણ કર્યું.
સુરત લોકસભાની ચૂંટણીના 73 વર્ષના વર્ષના ઈતિહાસમાં આ વર્ષે 18મી વખત યોજાનારી ચૂંટણી મતદારો, રાજકીય પક્ષો માટે હંમેશા એટલા માટે યાદ રહેશે કેમ કે 73 વર્ષમાં મુખ્ય પક્ષ કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ ચૂંટણી અધિકારીએ રદ કર્યું છે. આ દિવસ કોંગ્રેસ માટે કાળો દિવસ ગણાશે તેવો કાર્યકરોમાં ગણગણાટ થઈ રહ્યો છે. વર્ષ 1951થી ચૂંટણી યોજાઈ રહી છે અને 2019 સુધી 17 વખત ચૂંટણી યોજાઈ તેમાં કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા. પરંતુ 1951 પછી પ્રથમ વખત એવુ બનશે કે કોગ્રેસનો ઉમેદવાર ચૂંટણી લડી શકશે નહીં.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ